Showing posts with label તેલંગાના કિસાન વિદ્રોહ. Show all posts
Showing posts with label તેલંગાના કિસાન વિદ્રોહ. Show all posts

Sunday, 13 April 2014

તેલંગાના કિસાન વિદ્રોહ અને સ્તાલીનવાદી સીપીઆઇ

 
રાજેશ ત્યાગી/ ૦૫-૦૪-૨૦૧૪
અનુવાદ: કલ્પેશ ડોબરીયા

પ્રતિક્રાંતિકારી અપરાધોની એ અનંત શ્રુંખલામાં, કે જે છેલ્લી સદીમાં સ્તાલીનવાદીયો દ્વારા અમલમાં મુકવામાં હતી, સદીની એકદમ વચ્ચે પ્રગટ થયેલો તેલંગાનાનો ખેડૂત વિદ્રોહ (૧૯૪૮-૫૧), એક અગત્યની કડીરૂપ હતો.
પહેલાં, નિઃશસ્ત્ર યુવાનો અને ખેડૂતોને, ક્રાંતિકારી ઉભારના નામ પર, પૂંજીવાદી રાજ્યની સશસ્ત્ર સેનાઓ સામે ધકેલીને, અને પછી લડાઈ અધવચ્ચે છોડી ને અલગ થઇ જનાર સી.પી.આઈ. નું અવસરવાદી નેતૃત્વ, પ્રત્યક્ષ રીતે સ્તાલીનના નિર્દેશો વડે સંચાલિત હતું, જેનું એકમાત્ર લક્ષ્ય હતું ક્રેમલીનની રાષ્ટ્રીય બ્યુરોક્રેતિક સત્તાનું હિત.